શ્રી રૂપ વિજય પંન્યાસ પાટે,ધર્મ સુરેન્દ્ર ગુરૂવરની વાટે,
શાસનધુરા ને સંભાળનારા,નમન છે નમન છે સૂરીરામ મારા ||૧||
સુરજ ઉગે ને કમળ જેમ ખીલતા,શાસ્ત્રો ખુલેને સૂરીરામ ખીલતા,
શાસ્ત્ર વચનના ફેલાવનારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૨||
ગ્રહી હાથ મારો ઉગારનારા,પિતા માત ભ્રાતાને સખા અમારા,
ગુરૂરામ નામે અમે તરનારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૩||
તમે સ્વામી મારું સર્જન કર્યું છે,તમે નાથ મારું વર્ધન કર્યું છે,
તમારા વિના નહિ શિરછત્ર મારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૪||
તમે દીક્ષાદાતા તમે શિક્ષાદાતા,પ્રભુ વેશના છો તમે ભિક્ષાદાતા,
સંયમપાલનામાં અમી પૂરનારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૫||
સ્મરણ માત્ર જેનું સુખદાઈ ,ગુરૂનામ લઉં હું સદા હર્ષ લાઈ,
પ્રભો! રામ સુરિ ગુરૂરાજ મારા, નમન છે નમન છે સૂરીરામ મારા||૬||
વિચારું શી રીતે નથી આપ સામે, નોંધારા છોડી ગયા સ્વર્ગધામે,
હસતા ભલે હો, રૂવે છોરું તારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૭||
સૌભાગ્યશાળી "અભય" દાન દાતા, દઈ "રત્ન" ત્રયી ને દે સુખ શાતા,
"જગત" માત્રના છે "ઉદય" કરનારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૮||
No comments:
Post a Comment