♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

સ્તવના અષ્ટક




શ્રી રૂપ વિજય પંન્યાસ પાટે,ધર્મ સુરેન્દ્ર ગુરૂવરની વાટે,
શાસનધુરા ને સંભાળનારા,નમન છે નમન છે સૂરીરામ મારા ||૧||

સુરજ ઉગે ને કમળ જેમ ખીલતા,શાસ્ત્રો ખુલેને સૂરીરામ ખીલતા,
શાસ્ત્ર વચનના ફેલાવનારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૨||

ગ્રહી હાથ મારો ઉગારનારા,પિતા માત ભ્રાતાને સખા અમારા,
ગુરૂરામ નામે અમે તરનારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૩||

તમે સ્વામી મારું સર્જન કર્યું છે,તમે નાથ મારું વર્ધન કર્યું છે,
તમારા વિના નહિ શિરછત્ર મારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૪||

તમે દીક્ષાદાતા તમે શિક્ષાદાતા,પ્રભુ વેશના છો તમે ભિક્ષાદાતા,
સંયમપાલનામાં અમી પૂરનારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૫||

સ્મરણ માત્ર જેનું સુખદાઈ ,ગુરૂનામ લઉં હું સદા હર્ષ લાઈ,
પ્રભો! રામ સુરિ ગુરૂરાજ મારા, નમન છે નમન છે સૂરીરામ મારા||૬||

વિચારું શી રીતે નથી આપ સામે, નોંધારા છોડી ગયા સ્વર્ગધામે,
હસતા ભલે હો, રૂવે છોરું તારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૭||

સૌભાગ્યશાળી "અભય" દાન દાતા, દઈ "રત્ન" ત્રયી ને દે સુખ શાતા,
"જગત" માત્રના છે "ઉદય" કરનારા,નમન છે નમન છે સૂરીરામ મારા||૮||

પૂ. ગુરૂદેવની સ્તવના અષ્ટક સાંભળવા નીચે ક્લિક કરો.




No comments:

Post a Comment